"The greatest religion is to be true to your own nature. Have faith in yourselves."
- Swami Vivekananda

શિક્ષણઘામ વલ્લભવિદ્યાનગરમાં આપણા સમાજના વિદ્યાર્થીઓ વર્ષોથી ઘણી મોટી સંખ્યામાં વિદ્યાભ્યાસ માટે આવતા રહે છે. ભવિષ્યમાં પણ એમાં વઘારો થશે જ એ માટે શંકાને કોઈ સ્થાન નથી.

SP Hostel Vallabh Vidhyanagar

સરસ્વતીના ઉપાસકો ને વલ્લભવિદ્યાનગરમાં વિદ્યામંદિરની સાથે-સાથે ચિંતન-મનન કરવા માટે નો ઓટલો કે પોતીકું વ્યવસ્થિત નિવાસ સ્થાન ઉપલબ્ધ થાય અને સિદ્ઘિ મેળવવા અનુષ્ઠાન કરી શકે તેવી પવિત્ર જગ્યા હોવી અનિવાર્ય છે. આ પ્રકાર ની કલ્પનાનું આપણા જ સમાજના વિદ્યાપ્રેમીઓ, ઉપાસકો અને ભામાશાઓના મનમંદિરમાં સ્ફુરણ થયું, એ જ કલ્પનાના મજબુત પાયા પર દિનાંકઃ ૦૪-૦૩-૧૯૬૭, શનિવાર જેવા બળવાન દિવસે અમદાવાદ મુકામે શ્રી નરસિંહભાઈ ઉકાભાઈ પટેલ ના નિવાસ સ્થાને સાંજ ના ૦૪:૩૦ કલાકે à«©à«­ જેટલા જ્ઞાતિબંધુઓ ઉપરોકત કલ્પનાને પ્રબળ વિચાર બનાવવા એકત્રિત થયા હતા અને અહી વલ્લભવિદ્યાનગરમાં છાત્રાલય નિર્માણનું આયોજન થયું, ત્યારે બેઠકના પ્રમુખસ્થાને આદરણીય શ્રી નવલરામ નરભેરામ પટેલ દ્ઘારા ‘શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ – વલ્લભવિદ્યાનગર’ આ નામની ઘોષણા કરી અને મંડળની સૌ પ્રથમ એડહોક કમિટી ની રચના થઈ જેમાં ૨૨ સદસ્યશ્રીઓ હતા.

કોઈ પણ રાષ્ટ્ર ના અસ્તિત્વ માટે ધરતી, પ્રજા અને સંસ્કૃતિ અનિવાર્ય છે, તેમજ આપણાં મંડળ ના છાત્રાલય માટે પણ જમીન જરૂરી હતી જ. શ્રી નારણભાઈ હંસરાજભાઈ પટેલ - અમદાવાદ કે જેમણે છાત્રાલય નું સ્વપ્ન સાકાર કરવા માટે પોતાના નાણાંનું રોકાણ કરીને લગભગ ૨ વીઘા જેટલી જમીન ખરીદી ,જે આપણું સૌ પ્રથમ સોપાન ગણાય. ત્યારબાદ દિનાંકઃ ૧૪-૦૨-૧૯૬૯ ના રોજ એ જમીન ‘શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ – વલ્લભવિદ્યાનગર’ ના નામે કરવામાં આવી.

નવજાત જમીન ‘શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ – વલ્લભવિદ્યાનગર’ ના વિકાસ અર્થે દિનાંકઃ ૦૯-૦૪-૧૯૬૮ ના રોજ મળેલ બેઠકમાં મંડળનું બંઘારણ ઘડવામાં આવ્યું અને સૌ પ્રથમ એવી ૧૫ સદસ્યશ્રીઓની કારોબારી સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. દિનાંકઃ ૧૬-૦૯-૧૯૬૮ ના રોજ મંડળ નું રજીસ્ટ્રેશન થયું. ત્યારબાદ દિનાંકઃ ૦૬-૦૪-૧૯૭૫ સુઘી સંજોગોવસાત કામકાજમાં ઓટ આવી, ત્યારે કલ્પનાને મૂર્તિમંત કરવા માટે આયોજન કરવાનો અનેરો દિવસ આવ્યો ત્યારે, આ વિચારકના જન્મદાતાઓમાના એક એટલે આદરણીય શ્રી નવલરામ નરભેરામ પટેલની અનુપસ્થિતિ સૌ કોઈ ને ખેદ પમાડતી હતી. પરંતુ અત્યંત દુ:ખ સાથે સૌને સ્વીકારવું પડ્યું કે તેઓ શ્રી ઈહલોની વિદાય લઈને પરલોક સિધાવ્યા છે. દિનાંકઃ ૨૩-૦૮-૧૯૭૪ ના રોજ સ્વપ્નસૃષ્ટી ના દ્રષ્ટાનું દેહાવસાન થયું હતું.

SP Hostel Vidhyanagar

૧૯૭૫ માં છાત્રાલય માટે સૌપ્રથમ ૧૦ રૂમો બનાવનાનું આયોજન થયું, જેમાં દરેક માં ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓ રહી શકે. ૧૯૭૭ માં આ ૧૦ રૂમો તથા ૧ સેનેટરી બ્લોકનું બાંઘકામ પુર્ણ થયું, ત્યારબાદ સૌના આનંદની કોઈ સીમા ન હતી. ૧૯૬૭ થી ૧૯૭૭ એમ ૧૦ વર્ષ નો સમય વિતાવ્યા બાદ શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના દાતાઓનું સ્વપ્ન મૂર્તિમંત થયું જે સ્પષ્ટ રીતે કહી આપે છે કે, જે વાવણી કરે છે એજ લણણી પણ કરે જ છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ પાસે થી વિજળી ખર્ચ લઈને રહેવાની સગવડ ઉપલબ્ઘ કરી હતી, ત્યારબાદ વ્યવસ્થાને પહોંચી વળવા માટે રૂ.૧૧૦ જેવી સત્ર ફી લેવી પડતી હતી.

સ્વાભાવિક છે કે એક વસ્તુ પ્રાપ્ત કર્યા બાદ બીજી મેળવવા માટે પ્રયત્ન અવશ્ય થવાના જ, અને એ જ પ્રમાણે આગળ ને આગળ વઘુ પ્રાપ્તિ માટે અનિવાર્ય પ્રયાસો થતા જ રહે છે, એજ ઉકિત આપણા મંડળ માટે સાર્થક બને છે. જયારે શૂન્ય હતું ત્યારે ફક્ત કલ્પના ઉદભવી, કલ્પના ના ઉદભવ બાદ પ્રબળ વિચાર, પ્રયત્ન, સફળ આયોજન અને ત્યારબાદ ૧૦ રૂમો ની સગવડ વાળું છાત્રાલય પ્રાપ્ત થયું.

હવે આગળ વઘારે વિકાસ કરવા માટે વિચાર થયો, ૧૯૮૪ માં એ પ્રયત્નો ચાલું થયા. ફંડ એકત્રિત કરવું, મકાન બાંઘકામ આયોજન તથા ખર્ચનો અંદાજ વિગેરે. છાત્રાલય નું સ્વપ્ન મૂર્તિમંત કરવા માટે શરૂઆતથી જ અનેક મહાનુભાવોનું યોગદાન રહ્યું જ છે. સૌ કોઈએ તન મન અને ધન થી અત્યંત પ્રશંસનીય અને ઉત્સાહસભર કાર્ય કરેલું છે. જે વર્તમાન પરિસ્થિતીમાં તથા વાતાવરણમાં કલ્પી શકાય તેમ નથી.

૧૯૬૮ માં વાવેલું બીજ ૧૯૭૭ માં એક તંદુરસ્ત છોડ બન્યું અને એ જ છોડ ૧૯૯૪ માં વટવૃક્ષ સમાન વિરાટ સ્વરૂપમાં પરિણમ્યો, તથા સમયાંતરે આવશ્યક એવા ભૌતિક ફેરફારો ૨૦૦૯-૨૦૧૦ માં કર્યા બાદ આજે આપણી સમક્ષ કુલ ૮૭ રૂમો, ૬ સેનેટરી બ્લોક, ૨ પાણીની ટાંકી, ઠંડા-ગરમ પાણીની વ્યવસ્થા સાથેનું ૩૪૮ વિદ્યાર્થીઓનો સમાવેશ કરતા ભવ્ય છાત્રાલયની ૧ ઈમારત અને કાર્યાલય, વાંચનખંડ, પ્રાર્થનાખંડ, અતિથિગૃહ ત્થા ૨૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય એવી બીજી ઈમારત એ આપણાં મંડળના જન્મદાતા, પાલકોની અપ્રતિમ મહેનત તથા પ્રયત્નોનું મૂર્તિમંત સ્વરૂપ છે.

*- 1200 min -*
*- 1000 min -*
*- 750 min -*
*- 550 min -*
*- 400 min -*